બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મંજૂર મહેકમ અનુસાર શિક્ષકોની ખાલી જગ્યાઓ પર ભરવામા શિક્ષણ વિભાગ દ્વારા અખાડા થઈ રહ્યા છે.
બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંસરકારી શાળામાંથી ગ્રાન્ટેડમાં જતા આચાર્યને પગાર ધોરણનું રક્ષણ આપવા માંગરાજ્યમાં એક સરખો પરિપત્ર કરવા માટે સરકારના શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ
આ અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ગ્રાન્ટૅડ માધ્યમિક શાળના આચાર્ય સંવર્ગના અધ્યક્ષ જિગ્નેશભાઈ શાહ, ગ્રાન્ટૅડ ઉચ્ચત્તર માધ્યમિક સંવર્ગંના અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર, બિનસરકારી અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મંજૂર મહેકમની ખાલી જગ્યાઓ પર સત્વરે ભરતી કરવા , સાતમા પગાર પંચના બાકીના હપ્તા સત્વરે રોકડમાં ચુક્વવા, સરકારે જ્યારે પાંચ વર્ષની ફ્ક્સિ પગારની નોકરી સળંગ ગણી છે ત્યારે હાઇકોર્ટમાં જુના શિક્ષકની તરફેણમાં આવેલ ચુકાદો લાગુ કરીને જૂના શિક્ષકની ભરતીની જગ્યાએ જુના શિક્ષકની બદલી અંગે નવી નીતિ બનાવીને તે અન્વયે ગ્રાન્ટેડ શાળાના શિક્ષણ સહાયકો , શિક્ષકોને અરસપરસ બદલી , પતિ - પત્નીના કિસ્સામાં બદલી થતા વતનનો લાભ આપતી બદલીનો લાભ આપવા, પુનઃનિયુક્તિ વાળા શિક્ષણ સહાયકોની પુનઃનિયુક્તિ પહેલાની નોકરી પાંચ વર્ષની ફ્ક્સિ પગારની નોકરીમાં ગણી પુરા પગારમાં સમાવવા નિયમિત કરવા , બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બિનશૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ પુનઃજીવિત કરી વર્ગ -3 અને વર્ગ -4 ની ભરતીઓ ચાલુ કરવા , સરકારી શાળામાંથી ગ્રાન્ટેડ શાળામાં આવતા આચાર્યને પગાર તથા પગાર ધોરણનું રક્ષણ આપી સેવા સળંગ ગણવા, શિક્ષણ સહાયકોને નોકરીના પ્રથમ દિવસથી જ જૂથવીમામાં સમાવી લેવા રવિવાર તથા જાહેર રજાના દિવસે યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફ્રજ બજાવતા ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને વળતર રજા આપવાનો સમગ્ર રાજ્યમાં એક સરખો પરિપત્ર કરવા માટે સરકારના શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ છે.
